By subscribing, you'll get latest & Featured blog post by email.
Subscribe
1) પોસ્ટ ઓફિસ બચત ખાતું (બચત બેંક) - વ્યાજદર: 4.0% - વાર્ષિક
2) 1 વર્ષનું ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 6.9 (₹10,000 માટે ₹708 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક
3) 2 વર્ષનું ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 7.0 (₹10,000 માટે ₹719 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક
4) 3 વર્ષનું ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 7.1 (₹10,000 માટે ₹729 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક
5) 5 વર્ષનો ટાઈમ ડિપોઝિટ(ટીડી) ખાતું - વ્યાજદર: 7.5 (₹10,000 માટે ₹771 વાર્ષિક વ્યાજ) - ત્રિમાસિક
6) 5 વર્ષનું રિકરિંગ ડિપોઝિટ યોજના (RD) - વ્યાજદર: 6.7 - ત્રિમાસિક
રૂ.1,00,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ: દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે.
આવક મર્યાદા: દંપતીની (પતિ-પત્નિની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.ર લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
પાત્રતાના ધોરણો:
• તા.૦૨/૦૮/૨૦૧૯ (તા.૦૧/૦૮/૨૦૧૯ મધ્યરાત્રી ૧૨:૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે.
• દીકરીના જન્મ સમયે માતાની ઉમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
• દંપતીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
યોજનાનો ઉદ્દેશ / હેતુ: સગર્ભા બહેનો અને બાળકોના પોષણ અને આરોગ્ય સ્તરમાં સુધારો લાવવો
પાત્રતાના ધોરણો:
પ્રથમ સગર્ભા અને જન્મથી ૨ વર્ષના બાળકની માતા.
- આધારકાર્ડ
- ટેકો આઈડી
- આંગણવાડીમાં નોંધણી ફરજીયાત
યોજના અંતર્ગત મળતી સહાય:
પાત્રતા ધરાવતા લાભાર્થીઓને દર મારો મળતી સહાય
- ચણા - ૨ કિલો
- તુવર દાળ - ૧ કિલો
- સિંગતેલ – ૧ લીટર
રૂ.1,50,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ/હેતુ: વિધવાઓનું આર્થિક સ્વાવલંબન
લાભાર્થીનો પ્રકાર: વિધવા મહિલા
પાત્રતાના ધોરણો: આ યોજના હેઠળ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા મહિલા
યોજના હેઠળ મળતી સહાય: માસિક રૂ. ૧૨૫૦ લાભાર્થીના પોસ્ટ ખાતામાં સીધા જમા થાય છે.
રૂ.15,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ/હેતુ: સિંધુ દર્શન યાત્રા કરવા પ્રોત્સાહન મળે અને જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ યાત્રાનો લાભ મેળવી કૃતાર્થ થઈ શકે તે આશ્રયથી ગુજરાતના યાત્રિકોને આર્થિક સહાય આપવામાં આવે છે.
પાત્રતાના ધોરણો: તમામ જનરલ/એસ.સી./એસ.ટી/મહિલા/સિનિયર સિટિઝન/દિવ્યાંગ/અન્ય લાભાર્થી
રૂ.50,000ની સહાય
યોજનાનો ઉદ્દેશ / હેતુ: કૈલાસ માન સરોવરની યાત્રા ખૂબજ કઠિન યાત્રા છે. સમગ્ર જીવનકાળ દરમિયાન એકવાર ગુજરાતના યાત્રાળુઓ લાભ લઇ શકે તે હેતુથી સહાય આપવામાં આવે છે.
પાત્રતાના ધોરણો: તમામ જનરલ/એસ.સી/એસ.ટી/મહિલા/સિનિયર સિટિઝન/દિવ્યાંગ/અન્ય લાભાર્થી
યોજના અંતર્ગત મળતી સહાય: રૂ. ૫૦,૦૦૦/-
યોજનાનો ઉદ્દેશ: ગુજરાતમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકોને રાજ્યમાં આવેલા તીર્થસ્થાનોની યાત્રા માટે સરકારી સહાય પૂરી પાડવાનો છે.
પાત્રતાના ધોરણો: ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ગુજરાતમાં વસવાટ કરતા વડીલ નાગરિકો ઓછામાં ઓછા ૨૭ ના ગ્રુપમાં અરજી કરી શકશે.
અરજીની પ્રક્રિયા: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની વિભાગીય કચેરીઓ ખાતે લેખિતમાં અરજી કરી શકાય છે. પવિત્ર યાત્રધામ વિકાસ બોર્ડને ઓનલાઇન અરજી પણ કરી શકાય છે.
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા: આધારકાર્ડની નકલ
રૂ.1,20,000ની સહાય
યોજનાનો ઉદેશ / હેતુ: અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે.
આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. 6,00,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ. 6,00,000થી વધુ ન હોવી જોઈએ.
પાત્રતાના ધોરણો
• લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
• મકાનની સહાયની રકમ રૂ. 1,20,000 રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને રૂ. 12,000ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂ.1,20,000ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
• મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. 10,00,000 અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 7,00,000ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં.
• મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી 2 વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
• લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ રહેશે.
યોજના અંતર્ગત મળતી સહાય: જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, પાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે રૂ. 1,20,000 ત્રણ હપ્તામાં સહાય ચૂકવવામાં આવે છે. તે પૈકી પ્રથમ હપ્તો - રૂ. 40,000 (વહીવટી મંજૂરીના હુકમ સાથે), બીજો હમો-રૂ. 60,000 (લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) અને ત્રીજો હપ્તો - રૂ. 20,000 (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી) આપવામાં આવે છે.